rishanpyq
Loading...

Exam Questions

121. ગુપ્તવંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું? (GAS Class‐I & GCS Class I & I)

A. ચંદ્રગુપ્ત - I

B. ઘટોત્કચ

C. ચંદ્રગુપ્ત – II

D. કુમારગુપ્ત -I

Answer: (C) ચંદ્રગુપ્ત – II

122. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી? (GAS Class‐I & GCS Class I & I)

A. સમુદ્રગુપ્ત-આર્યવર્તના નવ રાજાઓને હરાવ્યા

B. ચંદ્રગુપ્ત બીજો -બલખના વાહલિકોને હરાવ્યા

C. કુમારગુપ્ત-વિષ્ણુનો ઉપાસક

D. સ્કંદગુપ્ત-હુણોને હરાવ્યા

Answer: (C) કુમારગુપ્ત-વિષ્ણુનો ઉપાસક

123. ક્યા મૌર્ય રાજા જૈન સન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા? (Municipal Chief Officer , Class-II)

A. બિંદુસાર

B. બિંબીસાર

C. ચન્દ્રગુપ્ત મૌર્ય

D. અશોકવ્વ

Answer: (C) ચન્દ્રગુપ્ત મૌર્ય

124. પ્રાચીન કાળમાં ગ્રામીણ કોણ હતો? (MAO, Class-II (ARV)

A. પ્રજાનો રક્ષક

B. યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો

C. ગામનો રક્ષક

D. ઉપર પૈકી એકપણ નહીં

Answer: (B) યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો

125. ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો? (MAO, Class-II (ARV)

A. ચંદ્રગુપ્ત મૌર્ય

B. અશોક

C. રૂદ્રદામા

D. સ્કન્દગુપ્ત

Answer: (C) રૂદ્રદામા

126. સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં?

A. પાટલીપુત્ર

B. ઉજ્જૈન

C. શલાતુર

D. તક્ષશિલા

Answer: (C) શલાતુર

127. નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે?

A. કૌટિલ્યનું “અર્થશાસ્ત્ર’”

B. હેમચંદ્રાચાર્યનું “પરિશિષ્ઠપર્વ””

C. વિશાખદત્ત 'મુદ્રારાક્ષસ’’

D. વિશાખદત્ત “દૈવીચંદ્રગુપ્તમ’”

Answer: (B) હેમચંદ્રાચાર્યનું “પરિશિષ્ઠપર્વ””

128. મૌર્યકાળના સ્થાયત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે?

A. સોમનાથ

B. સાંચીનો સ્તૂપ

C. મહાબલિપુરમ્

D. પેગોડા

Answer: (B) સાંચીનો સ્તૂપ