Exam Questions

33. કુમારપાળ સોલંકી વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે? (AO, Class-2)

1. 1. તે વૈષ્ણવધર્મના અનુયાયી હતા.

2. 2. વાગભટ્ટ તેમના મહિમાત્ય હતા.

3. 3. તેમણે જુગાર, હિંસા અને દારૂના ઉપયોગ પર પ્રતિબંધ મૂકયો હતો.

4. 4. તેમણે ભાવ બૃહસ્પતિની સોમનાથના મહંત તરીકે નિમણૂંક કરી હતી. - નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

A. માત્ર 2, 3 અને 4

B. માત્ર 1 અને 2

C. માત્ર 3 અને 4

D. 1, 2, 3 અને 4

Answer: (A) માત્ર 2, 3 અને 4

34. નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે? (AO, Class-2)

1. 1. કુમારપાળ એ ગુજરાતના અશોક કહેવાય છે.

2. 2. પાટણ ખાતેની રાણ-કી-વાવ એ રાણી રૂપમતી દ્વારા બંધાવવામાં આવી હતી.

3. 3. રૂદ્રમહાલય સૌપ્રથમ વખત રાજા મૂળરાજ દ્વારા બંધાવવામાં આવ્યો હતો.

4. 4. ગુજરાતના મોટાભાગના સોલંકી શાસકો શૈવધર્મ અનુસરતા હતા.

A. માત્ર 1, 2 અને 3

B. માત્ર 2 અને 4

C. માત્ર 1, 3 અને 4

D. 1, 2, 3 અને 4

Answer: (C) માત્ર 1, 3 અને 4

35. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. વલ્લભીના મૈત્રક વંશની સ્થાપના કરનાર ભટાર્કને ગુજરાતમાં સર-સેનાપતિ તરીકે નિયુક્ત ગુપ્ત સામ્રાજ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.

2. 2. મૈત્રકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો વલ્લભી સંવત અને ગુપ્ત સંવત સમાન છે.

3. 3. વલ્લભી રાજવી ધ્રવસેન-બીજો બુધ્ધગુપ્તનો સમકાલીન હતો.

A. 1, 2 અને 3

B. ફક્ત 3

C. ફક્ત 1 અને 2

D. ફક્ત 1 અને 3

Answer: (C) ફક્ત 1 અને 2

36. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. ચૌલુક્ય રાજા મૂળરાજ બીજાને મહંમદ ઘોરી હેઠળના તુર્કો દ્વારા પરાજીત કરવામાં આવ્યો હતો.

2. 2. વાઘેલાંઓ સત્તામાં આરૂઢ થયા અગાઉ અણહિલવાડનાં ચૌલુક્યો હેઠળ સેવાઓ આપતા હતાં.

3. 3. જયસિંહ સિધ્ધરાજ કલ્યાણના ચૌલુક્ય રાજા વિક્રમાદિત્ય-છઠ્ઠા સાથે સંઘર્ષમાં ઉતર્યો હતો.

A. ફક્ત 2 અને 3

B. ફક્ત 1 અને 2

C. ફક્ત 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (A) ફક્ત 2 અને 3

37. ચાવડા વંશ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. પંચાસર ચાવડા શાસક જયશેખરની રાજધાની હતી.

2. 2. 'પ્રબંધચિંતામણી' અનુસાર, ચાવડા વંશના વનરાજે 60 વર્ષ સુધી શાસન કર્યું હતું.

3. 3. નવસારી તામ્રપત્ર લેખ ચૌલુક્ય વંશના મૂળરાજે જારી કર્યો હતો.

A. 1, 2 અને 3

B. 1, 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. ફક્ત 1 અને 2

Answer: (D) ફક્ત 1 અને 2

38. વાઘેલા વંશ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. વિશલદેવ વાઘેલાએ માળવા (પરમારો) સામે લશ્કરી ચડાઈઓ જીતી હતી.

2. 2. વીરધવલના શાસન દરમ્યાન વસ્તુપાલ અને તેજપાલે ગિરનાર અને શેત્રુંજય પહાડીઓ ખાતે મંદિરોનું નિર્માણ કર્યું હતું.

3. 3. દિલ્લીના સુલતાને દેવગઢમાં કર્ણદેવ ઉપર હુમલો કરવા માટે ગુલામ સેનાપતિ અલફખાન હેઠળ બીજુ સૈન્ય મોકલ્યું હતું.

A. 1, 2 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 2

D. ફક્ત 1

Answer: (C) ફક્ત 1 અને 2

39. સિધ્ધરાજ જયસિંહ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. તેણે પોતાના નામનો “સિંહ સંવત” શરૂ કર્યો

2. 2. સિધ્ધરાજે પરમાર નરેશ યશોવર્મા સાથેના યુધ્ધમાં સમજૂતીના ભાગરૂપે મેવાડ, ડુંગરપુર અને વાંસવાડાના પ્રદેશો શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજને સોંપ્યા.

3. 3. સિદ્ધરાજ જયસિંહ પરમ માહેશ્વર (શૈવ) હતો.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (B) ફક્ત 1 અને 3

40. સિદ્ધરાજ જયસિંહ પરમ માહેશ્વર (શૈવ) હતો.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (B) ફક્ત 1 અને 3