17. પૂર્વ-મધ્યયુગની ગુજરાતની પ્રખ્યાત રાજધાની અણહિલવાડ-પાટણની સ્થાપના કયા રાજવંશના શાસકોએ કરી હતી? (GAS,AO,GCT)
18. અણહિલવાડના ક્યા ચાલુક્ય રાજાએ, જૈન વિદ્વાન હેમચંદ્રના પ્રભાવથી પ્રાણીઓના કતલને પ્રતિબંધિત કર્યો હતો? (GAS,AO,GCT)
19. સોમેશ્વર કૃત વૃત્તાંત ‘કીર્તિ કૌમુદી’ નીચેનામાંથી ગુજરાતના ક્યાં રાજવંશનો ઇતિહાસ છે. (GAS,AO,GCT)
20. તેમના તામ્રપત્ર અનુસાર વાઘેલા સામ્રાજ્યના ક્યા શાસકે મહારાજાધિરાજ, “રાજાઓનો રાજા'નો ખિતાબ ધારણ કર્યો હતો? (GAS,AO,GCT)
21. પ્રાચીન ગુજરાતીમાં કૃત કાવ્યાત્મક મહાકાવ્ય ‘કાન્હડદે પ્રબંધ” ના રચયતા કોણ હતા? (GAS,AO,GCT)
22. તેજપાલ અને વસ્તુપાલ દ્વારા બંધાયેલુ માઉન્ટ આબુનું જૈન મંદિર કયા જૈન તિર્થંકર ને સમર્પિત છે. (GAS,AO,GCT)
23. સિધ્ધહેમ શબ્દાનું શાસન' કયા વિષયનો ગ્રંથ છે? (Deputy Director,GSS, Class I)
24. ગુજરાતના વલભીપુરમાં મૈત્રક રાજા વીરસેનના રાજ્યાશ્રયમાં સંસ્કૃત ભાષાના કયા કવિએ મહાકાવ્યની રચના કરેલી? (General Study)