Exam Questions

65. ભારતના લાંબા સમુદ્રકિનારા પર કેટલા મુખ્ય બંદરો અને કેટલા નાના બંદરો છે?

A. 13 મુખ્ય બંદરો, 200 નાના બંદરો

B. 5 મુખ્ય બંદરો, 200 નાના બંદરો

C. 7 મુખ્ય બંદરો, 180 નાના બંદરો

D. 11 મુખ્ય બંદરો, 190 નાના બંદરો

Answer: (A) 13 મુખ્ય બંદરો, 200 નાના બંદરો

66. તાજેતરમાં ભારતીય ટેલીકોમ ક્ષેત્ર ક્રાંતિકારી પરિવર્તનોનો સાક્ષી બનેલ છે. આ બાબતમાં નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

1. (1) 2009 માં પ્રથમ નેશનલ ટેલીકોમ નીતિ (NTP) રજૂ કરવામાં આવી.

2. (2) 2012 માં વધુ એક ટેલીકોમ નીતિ રજૂ કરવામાં આવી.

3. (3) 2019 માં નેશનલ ડીજીટલ કોમ્યુનિકેશન પોલીસીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો.

A. 1, 2 અને 3

B. માત્ર 2

C. માત્ર 1 અને 3

D. માત્ર 1 અને 2

Answer: (B) માત્ર 2

67. ભારત સરકાર એ ભારત અને વચ્ચે 1.8 km ના Feri Bridge ની ઘોષણા કરી છે.

A. મ્યાનમાર

B. નેપાળ

C. ભૂતાન

D. બાંગ્લાદેશ

Answer: (D) બાંગ્લાદેશ

68. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

1. (1) આ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગ (Economically Weaker Section) (EWS) માટે મકાનનું કદ એ 30 ચો.મી. ના કાર્પેટ એરીયા (ભોયતળ ક્ષેત્રફળ) સુધીનું હોઈ શકે.

2. (2) તેમ છતાં, રાજ્યો / સંઘપ્રદેશો એ મંત્રાલય સાથે પરામર્શન અને તેની મંજૂરી સાથે મકાનના કદ વધારા માટે પરિવર્તન ક્ષમતા ધરાવે છે.

3. (3) PMAY (શહેરી) યોજના અંતર્ગત કુટુંબના મહિલા વડાને મકાનના માલિક અથવા સહ-માલિક બનાવવાની પ્રાવધાન (જોગવાઈ)ને ફરજીયાત કરેલ છે.

A. 1, 2 અને 3

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 3

D. માત્ર 1 અને 2

Answer: (A) 1, 2 અને 3

69. ભારતમાં 1991 પછી કયા ક્ષેત્રે નિયમનકારી સંસ્થા સ્થાપવામાં આવી?

A. વિમો

B. શેરબજાર

C. વીજળી

D. ઉપરોક્ત તમામ

Answer: (D) ઉપરોક્ત તમામ

70. ચાર મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ તથા કોલકત્તાને જોડનાર રાષ્ટ્રીય રાજમાર્ગો સાથે કઈ યોજના સંકળાયેલ છે?

A. રાષ્ટ્રીય ધોરી માર્ગ વિકાસ યોજના

B. વડાપ્રધાન ગ્રામીણ સડક યોજના

C. સડક માર્ગ પરિવહન યોજના

D. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના

Answer: (D) સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના

71. ભારતના રેલમાર્ગપર ભારતની સર્વ પ્રથમ વિદ્યુત રેલ્વે કયા કયા સ્ટેશનોની વચ્ચે શરૂ કરવામાં આવી હતી?

A. મુંબઈથી થાણા

B. મુંબઈ વી.ટી.થી કુર્લા

C. મુંબઈથી ચર્ચગેટ

D. કોલકત્તાથી પડુઆ

Answer: (B) મુંબઈ વી.ટી.થી કુર્લા

72. કેન્દ્રિય જલ મંત્રાલય દ્વારા તારીખ 2જી ઓક્ટોબર, 2019 ના રોજ વાર્ષિક સ્વચ્છ સર્વેક્ષણ, 2019 નો અહેવાલ જાહેર કરવામાં આવેલ છે, જેમાં.........રાજ્યના પેદાપલ્લી જિલ્લાને દેશમાં સમગ્રરૂપે સર્વશ્રેષ્ઠ જિલ્લા તરીકે જાહેર કરેલ છે.

A. તમિલનાડુ

B. આંધ્રપ્રદેશ

C. તેલંગાણા

D. કેરાલા

Answer: (C) તેલંગાણા