Exam Questions

41. ગુજરાતમાં કૃષિમાં ભૌગોલિક સંકેત નીચેના પૈકી કોને આપવામાં આવે છે?

A. ભાલીયા ઘઉં

B. ગીર કેસર કેરી

C. ભાલીયા ઘઉં અને ગીર કેસર કેરી

D. ગીર, કચ્છ અને વલસાડ કેસર?

Answer: (C) ભાલીયા ઘઉં અને ગીર કેસર કેરી

42. ભારતમાં ખેતી સંદર્ભે નીચે દર્શાવેલ વિધાનો પૈકી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

1. 1. ખેતી આ દેશની અર્થ વ્યવસ્થાની જીવન રેખા ગણાય છે.

2. 2. ખેતી ખાદ્ય તથા આજીવિકા સુરક્ષા માટે આધાર પૂરો પડે છે.

3. 3. ભારત અનાજના સંદર્ભે આત્મનિર્ભર બની શક્યું છે.

4. 4. નવી ટેકનૉલોજીના ઉપયોગથી રોજગારીની તકોની વૃદ્ધિ થઈ.

A. 2 અને 3

B. 1, 2 અને 3

C. 1, 2, 3 અને 4

D. 2, 3 અને 4

Answer: (C) 1, 2, 3 અને 4

43. સોઈલ હેલ્થ કાર્ડ સ્કીમની શરૂઆત કઈ પંચવર્ષીય યોજના અંતર્ગત થઈ હતી?

A. દસમી

B. નવમી

C. અગીયારમી

D. બારમી

Answer: (D) બારમી

44. નેશનલ ડેરી પ્લાન, પ્રથમ તબક્કા (Phase I)ની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી?

A. ઈ.સ. 2014

B. ઈ.સ. 2015

C. ઈ.સ. 2016

D. ઈ.સ. 2012

Answer: (D) ઈ.સ. 2012

45. સરકારશ્રીની યોજના અન્વયે ખેડૂતોને રૂા. 3/- લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે. તાજેતરમાં સરકારે ખેડૂતોની વ્યાખ્યા વિસ્તારીને તેમાં વધુ કોનો સમાવેશ કર્યો છે?

A. માત્ર માછીમારો

B. માત્ર માછીમારો

C. માછીમારો का પશુપાલકો

D. માછીમારો અને પશુપાલકો

Answer: (D) માછીમારો અને પશુપાલકો

46. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. i. લોખંડ અને પોલાદ ઉદ્યોગને ધીરાણ પ્રાથમિકતા ક્ષેત્ર (priority sector) ધિરાણનો ભાગ નથી.

2. ii. RBI દ્વારા “સ્ટરિલાઈઝેશન” (sterilization) ખુલ્લા બજારના કાર્યો (open market operations) દ્વારા કરવામાં આવે છે.

3. iii. RBIની બેંકોમાં જમા થાપણોનો પણ અનામત નાણા (reserve money) માં સમાવિષ્ટ થાય છે.

4. iv. જનતા પાસેનું ચલણ અને વાણિજિયક બેંકો દ્વારા RBI પાસે જાળવેલ થાપણોને નાણાંકીય આધાર (monetary base) કહેવાય છે.

A. i, ii, iii અને iv

B. ફક્ત i, ii અને iv

C. ફક્ત in અને iv

D. ફક્ત i, ii અને ii

Answer: (A ) i, ii, iii અને iv

47. "પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના” બાબતે નીચેના પૈકી કયું/ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

A. આ યોજના અંતર્ગત ખેડૂતોએ વર્ષની કોઈપણ ઋતુમાં પકવેલા કોઈપણ પાક માટે 2% ના સમાન દરે પ્રીમીયમ ભરવું પડશે.

B. આ યોજના ભૂતકાળમાં ચક્રવાત કે કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનનો સમાવેશ કરી લે છે.

C. (A) તથા (B) બંને

D. (A) અને (B) બંને પૈકી કોઈ નહીં

Answer: (D) (A) અને (B) બંને પૈકી કોઈ નહીં

48. કૃષિ સબસીડી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

A. ખાતરની સબસીડીનો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે.

B. પાણીની સબસીડીનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે.

C. (A) તથા (B) બંને

D. (A) અને (B) બંને પૈકી કોઈ નહીં

Answer: (C) (A) તથા (B) બંને