Exam Questions

65. ભારતીય સંવિધાનના આમુખમાં કેટલાંક આદર્શો પ્રતિષ્ઠાપિત કરવામાં આવ્યા છે, જેનો પ્રથમ... માં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

A. પૂર્ણ સ્વરાજ સમયના રવિ નદીના કિનારેના નહેરુજીના ઉદ્બોધન

B. નહેરુ અહેવાલ

C. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કરાચી સત્ર

D. સંવિધાન સભા દ્વારા સ્વીકારવામાં આવેલ ઉદ્દેશ ઠરાવ

Answer: (D) સંવિધાન સભા દ્વારા સ્વીકારવામાં આવેલ ઉદ્દેશ ઠરાવ

66. ભારતીય સંવિધાન મુજબ મૂળભૂત અધિકારો સંદર્ભે નીચેનામાંથી કયું કારણ સાચું નથી?

A. તે સામાન્ય કાયદાથી ઉપર છે.

B. તે નિરપેક્ષ છે.

C. તે ન્યાયસંગત છે.

D. ઉપરોક્તમાંથી કોઈ નહીં

Answer: (B) તે નિરપેક્ષ છે.

67. નીચેનામાંથી કયું સમાજવાદી વિચારધારા પ્રતિબિંબિત કરે છે?

A. પ્રતિબંધ

B. ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવો

C. રાજ્યમાં સમાન કાર્ય માટે સમાન વેતનના પ્રયત્નો

D. પંચાયત વ્યવસ્થા રાજ્યની જવાબદારી

Answer: (C) રાજ્યમાં સમાન કાર્ય માટે સમાન વેતનના પ્રયત્નો

68. સંસદ સભ્યોની અયોગ્યતા અંગેના વિવાદનો નિર્ણય કરવા માટે કોણ અધિકૃત છે?

A. રાષ્ટ્રપતિ ચૂંટણી પંચના પરામર્શન થકી

B. રાષ્ટ્રપતિ

C. સર્વોચ્ચ અદાલત

D. ચૂંટણી પંચ

Answer: (A) રાષ્ટ્રપતિ ચૂંટણી પંચના પરામર્શન થકી

69. નીચેની પૈકી કઈ વિશેષતા ભારતીય ફેડરેશન અને અમેરીકન ફેડરેશન માટે સર્વગત છે?

A. સર્વોચ્ચ ન્યાયાલય બંધારણનું અર્થઘટન કરે છે.

B. એક નાગરિકતા

C. બંધારણમાં સત્તાની ત્રણ સૂચિ

D. ઉપરોક્તમાંથી કોઈ નહીં

Answer: (A) સર્વોચ્ચ ન્યાયાલય બંધારણનું અર્થઘટન કરે છે.

70. ભારતના બંધારણના આરંભથી, દરેક વ્યક્તિ ભારતના નાગરિક બનશે, જે ભારતના પ્રદેશમાં તેમના નિવાસસ્થાન ધરાવે છે અને

A. જેનો જન્મ ભારત પ્રદેશમાં થયો હતો.

B. ક્યાંતો તેમના માતાપિતા બેમાંથી એક ભારતના પ્રદેશમાં જન્મ્યા હતા.

C. બંધારણના આરંભથી તેના ક્રિયાનવયન બાદ જેઓ સામાન્ય રીતે ભારત પ્રદેશમાં પાંચ વર્ષથી ઓછા સમયથી નહિ પણ ઓછામાં ઓછા પાંચ વર્ષથી વસવાટ કરતા હોય.

D. ઉપરોક્ત તમામ

Answer: (D) ઉપરોક્ત તમામ

71. હાલના પાકિસ્તાનમાં સામેલ છે એવા પ્રદેશમાંથી ભારતીય પ્રદેશમાં સ્થળાંતર કર્યુ હોય, એમને માટે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં નાગરીકતાના અધિકારનું વિસ્તૃતિકરણ કરેલ છે ?

A. અનુચ્છેદ 5

B. અનુચ્છેદ 6

C. અનુચ્છેદ 7

D. અનુચ્છેદ 8

Answer: (B) અનુચ્છેદ 6

72. ભારતીય બંધારણના 24મા સુધારાની માન્યતા જાળવવા માટે નીચેના પૈકી કયા મુકદ્દમાના કારણે અનુચ્છેદ 13(4) ને સામેલ કરવામાં આવ્યો છે? જે દર્શાવે છે કે બંધારણની કેટલીક મૂળભૂત વિશેષતામાં સુધારો શક્ય નથી.

A. ગોલકનાથ વિરૂદ્ધ પંજાબ રાજ્ય

B. મીનરવા મીલ્સ વિરૂદ્ધ ભારતીય સંઘ

C. કેશવાનંદ ભારતી વિરૂદ્ધ કેરળ રાજ્ય

D. ઉપરોક્તમાંથી કોઈ નહીં

Answer: (C) કેશવાનંદ ભારતી વિરૂદ્ધ કેરળ રાજ્ય