Exam Questions

97. નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે?

1. 1. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો માત્ર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા જ બરતરફ થઈ શકે.

2. 2. સંયુક્ત રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો ભારતના કાયદામંત્રી દ્વારા નિયુક્ત કરવામાં આવે છે.

3. 3. રાજ્યના રાજ્યપાલની વિનંતીથી સંઘ લોક સેવા આયોગ (UPSC) એ રાજ્યને જરૂરીયાતો પૂરી પાડે છે.

4. નીચે આપેલા કોડમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.

A. માત્ર 3

B. માત્ર 1 અને 2

C. માત્ર 1 અને 3

D. માત્ર 2

Answer: (C) માત્ર 1 અને 3

98. નીચેના પૈકી કયા સત્તાધિકારીએ મતાધિકાર સિવાય સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે?

A. એટોર્નીજનરલ ઑફ ઈન્ડીયા

B. ભારતના મુખ્ય ન્યાયાધીશ

C. મુખ્ય ચૂંટણી આયુક્ત

D. કોન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઑફ ઈન્ડીયા

Answer: (A) એટોર્નીજનરલ ઑફ ઈન્ડીયા

99. રાજ્યનું કોઈ કૃત્ય બંધારણની જોગવાઈ સાથે સુસંગત નથી એવી ફરિયાદ થાય, તો એ જોગવાઈઓના પ્રકાશમાં અવલોકન કરવાની સત્તા ને છે.

A. ફક્ત સુપ્રીમ કોર્ટ

B. ફક્ત હાઈકોર્ટ

C. સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટ

D. રાષ્ટ્રપતિ

Answer: (C) સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટ

100. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે એવો અભિપ્રાય આપ્યો કે આમુખને બંધારણનો ભાગ ગણી શકાય નહીં?

A. બેરૂબારી કેસ

B. કેશવાનંદ ભારતી કેસ

C. ગોલકનાથ કેસ

D. મિનાક્ષી મિલ્સ કેસ

Answer: (A) બેરૂબારી કેસ

101. સોલિસિટર જનરલ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન/વિધાનો સાચું / સાચાં છે ?

1. 1. તે બંધારણીય હોદ્દો છે.

2. 2. એટર્ની જનરલ સોલિસિટર જનરલના સહાયક તરીકે કાર્ય કરે છે.

A. ફક્ત 1

B. ફક્ત 2

C. 1 અને 2 બંને

D. 1 અને 2 પૈકી કોઈ નહીં

Answer: (D) 1 અને 2 પૈકી કોઈ નહીં

102. ઉચ્ચતમ ન્યાયાલયના કોઈ ન્યાયાધીશ કોને સંબોધીને પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું આપી શકે છે?

A. પ્રધાનમંત્રીને

B. મુખ્ય ન્યાયમૂર્તિને, ઉચ્ચતમ ન્યાયાલયને

C. રાષ્ટ્રપતિને

D. કાયદા મંત્રીને

Answer: (C) રાષ્ટ્રપતિને

103. નિયંત્રક- મહાલેખા પરીક્ષકના પગાર અને સેવાની બીજી શરતો કોણ નક્કી કરી શકે છે?

A. વડાપ્રધાન

B. સંસદ

C. રાષ્ટ્રપતિ

D. નાણા વિભાગ, ભારત સરકાર

Answer: (B) સંસદ

104. રાજ્યના લોક સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે?

A. રાજ્યપાલની

B. સંસદની

C. રાજ્યના વિધાનમંડળની

D. મુખ્યમંત્રીની

Answer: (C) રાજ્યના વિધાનમંડળની