Exam Questions

49. 1930-31 ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હ્તુ?

A. સયાજીરાવ-ત્રીજા

B. ભગવતસિંહ

C. કૃષ્ણકુમારસિંહ

D. જામ રણજિતસિંહ

Answer: (D) જામ રણજિતસિંહ

50. “ઈન્ડિયન રીપબ્લિકન આર્મી” નું ગઠન કોણે કર્યું હતું?

A. સુભાષચન્દ્ર બોઝ

B. ગોપાલકૃષ્ણ ગોખલે

C. સૂર્યસેન

D. ચંદ્રશેખર આઝાદ

Answer: (C) સૂર્યસેન

51. નીચેના પૈકી કોણે “મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી ‘અભિનવ ભારત” નામથી જાણીતી બની હતી?

A. વીર સાવરકર

B. વાસુદેવ બળવંત ફળકે

C. ખુદીરામ બોઝ

D. ચંદ્રશેખર આઝાદ

Answer: (A) વીર સાવરકર

52. યોગ્ય રીતે જોડો.

1. (i) અસહયોગ આંદોલન - 1. 1942

2. (ii) સવિનય કાનૂનભંગ - 2. 1920

3. (iii) હિન્દ છોડો આંદોલન - 3. 1930

4. (iv) હોમરૂલ આંદોલન - 4. 1916

A. 4 3 1 2

B. 2 3 1 4

C. 2 1 4 3

D. 1 2 3 4

Answer: (B) 2 3 1 4

53. મુસ્લીમ લીગે સીધી કાર્યવાહીનો દિવસ ક્યારે મનાવ્યો હતો?

A. 15 ઓગસ્ટ, 1946

B. 13 ઓગસ્ટ, 1946

C. 16 ઓગસ્ટ, 1946

D. 16 ઓગસ્ટ, 1945

Answer: (C) 16 ઓગસ્ટ, 1946

54. 'ઝંડા સત્યાગ્રહ” અને તા.18-6-1923 ના રોજ ઓલ ઇન્ડિયા ફ્લેગ ડે ની ઉજવણી માટે નીચે પૈકી કયુ શહેર પ્રચલિત છે? (APG, CLASS-1)

A. કાનપુર

B. નાગપુર

C. નૈનિતાલ

D. ભોપાળ

Answer: (B) નાગપુર

55. ઈ.સ. 1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયાં હતાં? (DEO)

A. દાંડી

B. સુરત

C. નવસારી

D. રાજકોટ

Answer: (B) સુરત

56. યાદી (ક) માં સાલ આપી છે અને (ખ) માં બનાવો, આપેલ છે તેને યોગ્ય રીતે જોડીને સાચો વિકલ્પ પસંદ કરો. (DEO)

1. (i) ઈ.સ. 1930 - 1. કેબીનેટ મીશન યોજના

2. (II) ઈ.સ. 1935 - 2. હિંદ છોડોની ચળવળ

3. (III) ઈ.સ. 1942 - 3. દાંડી કૂચ

4. (IV) ઈ.સ. 1946 - 4. પ્રાંતિક સ્વરાજ્ય

A. 3 2 1 4

B. 2 4 3 1

C. 4 3 1 2

D. 3 4 2 1

Answer: (D) 3 4 2 1