Exam Questions

1. 2011ની વસ્તી ગણતરી અનુસાર નીચેના પૈકી કયો ધાર્મિક સમુદાય સૌથી વધુ સાક્ષરતા દર ધરાવે છે?

A. બૌદ્ધ

B. જૈન

C. ખ્રિસ્તી

D. શીખ

Answer: (B) જૈન

2. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

1. 1. હાલ વિશ્વની 55% વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે.

2. 2. વિશ્વની શહેરી વસ્તીના 54%નું નિવસન એશિયા છે.

3. 3. આફ્રિકા, તેની શહેરી વિસ્તારોમાં રહેતી 43% વસ્તી સાથે, સૌથી ગ્રામિણ છે.

A. ફક્ત 2

B. ફક્ત 1 અને 3

C. 1, 2 અને 3

D. ફક્ત 2 અને 3

Answer: (B) ફક્ત 1 અને 3

3. “ગેજ” અનુસાર ભારતીય રેલ્વે કેટલી શ્રેણીઓમાં વિભાજીત થયેલું છે ?

A. પાંચ

B. ચાર

C. ત્રણ

D. બે

Answer: (C) ત્રણ

4. તોડા આદિજાતિનું નિવાસસ્થાન. માં છે.

A. ઈરામલા પહાડીઓ

B. શિવાલીક પહાડીઓ

C. મહાદેવ પહાડીઓ

D. નીલગિરિ પહાડીઓ

Answer: (D) નીલગિરિ પહાડીઓ

5. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો “સ્વતંત્ર - સ્વેચ્છાચારી” ઉદ્યોગ બાબતે સાચું / સાચાં છે ?

A. તે સ્થાન-વિશેષ હોય છે.

B. તેના ઉત્પાદનના પડતર ખર્ચમાં થોડો ફરક પડતાં જ પોતાનું સ્થળ બદલે છે.

C. (A) અને (B) બંને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (B) તેના ઉત્પાદનના પડતર ખર્ચમાં થોડો ફરક પડતાં જ પોતાનું સ્થળ બદલે છે.

6. ભારતમાં આયોજન પંચ અને “NRSA” દ્વારા કેટલા મુખ્ય કૃષિ ક્લાઈમેટિક પ્રદેશો ઓળખી કાઢવામાં આવ્યા છે?

A. 12

B. 15

C. 14

D. 16

Answer: (B) 15

7. 2011 ની વસ્તી ગણત્રી મુજબ નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. ભારતની સરખામણીમાં ગુજરાતનો સાક્ષરતા દર ઊંચો છે.

2. 2. 15- 19 ના વયજૂથમાં ગુજરાતની વસ્તીના હિસ્સાની ટકાવારી ભારતની વસ્તીના હિસ્સાની ટકાવારી કરતાં વધુ છે.

A. ફક્ત 1 સાચું છે.

B. ફક્ત 2 સાચું છે.

C. 1 અને 2 બંને સાચાં છે.

D. 1 અને 2 બંને ખોટાં છે.

Answer: (A) ફક્ત 1 સાચું છે.

8. મહાન સંસ્કૃતિઓ ગ્રીક અને રોમનનો વિકાસ માં થયો.

A. સવાના વિસ્તાર

B. સમશીતોષ્ણ વિસ્તાર

C. ભૂમધ્ય વિસ્તાર

D. ઉષ્ણકટિબંધ વિસ્તાર

Answer: (C) ભૂમધ્ય વિસ્તાર